બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એક અગ્રણી બંગાળી નવલકથાકાર છે. તેમના લખાણોએ માત્ર બંગાળી સાહિત્યને જ સમૃદ્ધ નથી બનાવ્યું, પરંતુ હિન્દીને પણ પર્યાપ્ત લાભ આપ્યો છે. તેમની લોકપ્રિયતા એટલી છે કે, છેલ્લા ૧૫૦ વર્ષમાં તેમની નવલકથાઓનો વિવિધ ભાષાઓમાં અનુવાદ થયો છે અને તેની અસંખ્ય આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. તેમની નવલકથાઓ સ્ત્રીઓના આંતરિક દુઃખ અને શક્તિને બળકટ રીતે વ્યક્ત કરે છે. તેમની નવલકથાઓએ સ્ત્રીઓને એક નવી ઓળખ અને ભારતીય ઈતિહાસને એક નવો દૃષ્ટિકોણ આપ્યો છે.
તેઓ ઐતિહાસિક નવલકથાઓ લખવામાં સિદ્ધહસ્ત હતા અને તેમને ભારતના ઍલેક્ઝાન્ડર ડ્યુમા માનવામાં આવે છે.